Home » મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને ભોજનમાં અપાતા ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજ, ફુડ રિસર્ચ લેબોરેટરીએ દૂર કરી ગેરસમજ
મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને ભોજનમાં અપાતા ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજ, ફુડ રિસર્ચ લેબોરેટરીએ દૂર કરી ગેરસમજ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
59
બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજ કેટલાક લોકોમાં પ્રવર્તી રહી છે. રાજ્ય સરકારની સુચનાથી આ બાબતને ગંભીરતાથી લઈ ફુડ રિસર્ચ લેબોરેટરી (FRL), ગાંધીનગર દ્વારા આ મામલે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં આ ચોખા પ્લાસ્ટિકના નહિ પરંતુ પોષણયુક્ત ફોર્ટિફાઇડ ચોખા હોવાનું જણાવ્યું છે. FRL ના પ્રોજેક્ટ હેડ અને ડાયરેક્ટર એચ.પી. સંઘવીએ જણાવ્યું કે, બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા ચોખામાં પ્રોસેસ કરી પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક તુષાર ધોળકિયાએ વધુ વિગતો આપતા કહ્યું કે, ફોર્ટિફાઇડ ચોખામાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ-ફોલીક એસીડ (વિટામીન B9), વિટામીન B12 તથા આર્યનની માત્રા ઉમેરવામાં આવે છે. અને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા જ દાણા તૈયાર કરવામાં આવે છે.
નાગરિક પુરવઠા નિગમના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સંજય મોદીએ જણાવ્યું કે, માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉમેરવાથી ફોર્ટિફાઈડ ચોખા મુળ ચોખાના દાણા કરતા સહેજ પીળાશ પડતા અને આકારમાં પણ થોડા જુદા હોય છે. ભારત સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૧થી સમગ્ર દેશમાં પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના (MDM) હેઠળ વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરી છે. ચોખાના જ લોટમાંથી ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે. તેને FRK (Fortified Rice Kernel) કહેવામાં આવે છે. આ ફોર્ટિફાઈડ ચોખા મૂળ ચોખામાં ૧૦૦:૧ ના પ્રમાણમાં ઉમેરવામાં આવે છે.
પોષણક્ષમ ફોર્ટિફાઈડ ચોખા મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને રાંધીને ખવડાવવાના હોય છે. પરંતુ હાલ શાળાઓ બંધ હોવાથી આ ચોખા બાળકોના વાલીઓ ઘરે લઈ જઈને તેનો વપરાશ કરે છે, જેથી ફોર્ટિફાઈડ ચોખા દેખાવમાં સહેજ અલગ રંગ અને આકારના જણાતા સામાન્ય નાગરિકોમાં તે પ્લાસ્ટિકના દાણા હોવાની ગેરસમજ પ્રવર્તી રહી છે. રાજ્યના નાગરિકોમાં પ્લાસ્ટિકના ચોખા અંગે ગેરમાન્યતા દૂર કરવા રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે આવેલી ફુડ રિસર્ચ લેબોરેટરીને આ અંગે સ્થળ મુલાકાત લઈ અહેવાલ આપવા આદેશ કર્યા હતા. જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ સંચાલિત ફુડ રિસર્ચ લેબોરેટરી (FRL) દ્વારા વૈજ્ઞાનિક ઢબે જરૂરી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ફોર્ટિફાઈડ ચોખા રાંધતા મુળભુત ચોખાની જેમ જ રંધાઈ જાય છે, તેમજ આ ચોખા પાણીમાં નાખવાથી ફૂલીને પોચા પણ પડી જાય છે. પંચમહાલના શહેરામાં, સુરતના માંગરોળ તેમજ નવસારી અને વલસાડના અલગ અલગ ગામોમાં કેમ્પ કરીને ટીમો દ્વારા તબક્કાવાર જાહેરમાં ચોખાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject