ના પાક પાકિસ્તાન મરીન તેની ના પાક હરકતો યથાવત રાખી છે બે સપ્તાહ પૂર્વ પાકિસ્તાન મરીને દ્વારકા એક બોટનુ અપહરણ કયુ હતુ પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે પાકિસ્તાને એક નહી પરંતુ ત્રણ બોટાનો અપહરણ કર્યા છે જો કે પોરબંદરની બે બોટના અપહરણના સમાચાર હજુ સુધી સતાવાર રીતે બહાર આવ્યા નથી પરંતુ માછીમાર પરીવારોમાં ચિંતા લાગણી જોવા મળી રહી છે.
ભારતીય જળ સીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરીટી અવારનવાર ભારતીય માછીમારોને બંધક બનાવી પાકિસ્તાની જેલમાં ધકેલી મુકે છે જ્યાં 4-4 વર્ષ્ વિતી જાય છતાં તેને છોડાવામા આવતા નથી. ખાસ કરીને પાકિસ્તાન દ્વારા પકડાયેલી બોટ તો પરત આપવામા આવતી નથી. જેના લીધે બોટ માલિકોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે વધુ ભારતીય બોટોના અપહરણના સમાચાર વહેતા થયા છે જેથી માછીમાર પરિવાર ચિંતામા મુકાયો છે.
બે સપ્તાહ પૂર્વ દ્વારકાની બોટ અપહરણના સમાચાર સામે આવ્યા હતા
ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાન મરીને દ્વારકાની એલકરીન નામક બોટોનુ માછીમારો સાથે અપહરણ કરવામાં આવ્યુ હોવાના 30 ડીસેમ્બર 2023ના રોજ સમાચાર સામે આવ્યા હતા. બેટ દ્વારકાની બોટ ઓખાથી માછીમાર કરવા નીકળી હતી. પાકિસ્તાન મરીનની ના પાક હરકતે ભારતીય બોટ અને માછીમારોના અપહરણ થયા હતા.
દ્વારકા સાથે પોરબંદરની પણ બે બોટના અપહરણ થયા ?
ના પાક પાકિસ્તાન દ્વારા દ્વારકાની એક બોટનુ અપહરણ કર્યા. આ સમાચાર 30 ડીસેમ્બર રોજ સામે આવ્યા હતા. આ સાથે પોરબંદરની પણ બે બોટ સંપર્ક વિહોણી બની હતી. જેનો હજુ સુધી કોઇ સંપર્ક થયો નથી. ત્યારે માછીમાર સુત્રોમાંથી મળતી મુજબ પોરબંદરની બે બોટ જે સંપર્ક વિહોણી બની છે. તેનુ હજુ સુધી લોકેશન મળ્યુ નથી. ઉપરાંત માછીમારોએ એવી પણ શંકા વ્યકત કરી છે કે છે કે દ્વારકાની સાથે પોરબંદરના બે બોટ અપહરણ થયા છે. કારણ તે સમયથી પોરબંદરની મનદીપ અને વ્રજભૂમિ નામની બોટ સંપર્ક વિહોણી બની છે. ત્યારે આ મામલે હજુ સુધી કોઇ સતાવાર માહિતી આવી નથી પરંતુ માછીમારો પાકિસ્તાન તરફ ઇશારો કરી રહ્યાં છે.
અહેવાલ – કિશન ચૌહાણ
આ પણ વાંચો — Winter : ઠંડી વધતા લોકો ઠુંઠવાયા, આ જિલ્લામાં સૌથી વધુ ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી વિશે