જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માતમાં સેનાના એક વાહનમાં આગ લાગી હતી, જેમાં 3 થી 4 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જો કે આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી ષડયંત્રની વાત કરવામાં આવી નથી. દુર્ઘટના સમયે આ વાહનમાં લગભગ 8 જવાન હાજર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4 જવાન શહીદ થયા હોવાના અહેવાલ છે.
Casualties feared as an Indian Army truck catches fire in Poonch district of Jammu & Kashmir
Details awaited. pic.twitter.com/QgVwYQIZQ4
— ANI (@ANI) April 20, 2023
જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં નેશનલ હાઈવે પર સેનાના એક વાહનમાં આગ લાગવાના સમાચાર છે. ટીવી ચેનલના સમાચાર મુજબ આમાં લગભગ ચાર જવાન શહીદ થયા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સેનાના વાહનમાં આગ લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. વાહનમાં આગ લાગવાના કારણે આજુબાજુમાં રહેતા સ્થાનિકો પર ઘટના સ્થળે આવ્યા હતા.
કોર્ટ ઓફ ઈન્કવાયરીએ તપાસના આદેશ આપ્યા
કહેવામાં આવી રહ્યું છે કે વાહનમાં થોડો સામાન હતો અને કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી અને તે વધતી જ ગઈ. આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ સેનાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ અકસ્માત સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર ન કરે. અકસ્માત બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે.