અહેવાલઃ વિશ્વાસ ભોજાણી
ગોંડલના લોકો એક સમયે ગુંડાઓથી થરથરતા હતા, પરંતુ આજે શેરી મહોલ્લાઓમાં સમુહમાં બેફામ બની રખડતા શ્વાનઓથી થરથરે છે. શ્વાન દ્વારા લોકોને બચકા ભરવાની ઘટનાઓ શહેરમા રોજીંદી બની ચૂકી છે..જેને લઇને એક જાગૃત નાગરિકે ચિફ ઓફિસરને જવાબદાર ગણી તેની સામે ગુન્હો નોંધવા અરજી કરી છે.
ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટમાં રહેતા કેશુભાઈ અકવાલીયાએ પોલીસ ઇન્સ્પેક્ટરને ઉદેશી કરેલી લેખીત રજુઆતમાં જણાવ્યુ કે તેઓ બાઇક પર તુલસીબાગ થી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે નગરપાલીકા કચેરીથી આગળ હનુમાનજી મંદિર પાસે ચાર જેટલા શ્વાનોએ ઘસી આવી હુમલો કરી સાથળમાં બચકા ભરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેમણે જણાવ્યુ કે હુ નગર પાલિકાના તમામ વેરા ભરુ છુ.તેમ છતા નગર પાલીકા દ્વારા હડકાયા શ્વાનોને દુર કરવા કોઈ પગલા લેવાતા નથી.જેને કારણે બેફામ બની માનવજીવોને મૃતપાય ઇજા પહોંચાડે છે.ઘાટ એવો ઘડાયો છે કે નગરપાલીકા નિષ્ક્રિય અને શ્ર્વાન સક્રીય છે.અમો ફરીયાદીને શ્વાન કરડવાથી ગંભીર ઇજા પહોંચી હોય નગરપાલીકા ના ચિફ ઓફિસર વિરુધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરવી.હવે જોવાનુ એ કે પોલીસ શુ કરે છે.?