રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં RTI થકી વિગતો મેળવી શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા તોડબાજ અને શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલની ક્રાઈમ બ્રાન્ચે (CID) ધરપકડ કરી હતી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તોડકાંડના આરોપી મહેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, નામદાર કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં તોડ કરવા મામલે ક્રાઈમમાં (CID) ફરિયાદ થયા બાદ મહેન્દ્ર પટેલ સામે પોલીસે તપાસ કરીને તેની ધરપકડ કરી હતી. આ કેસ હેઠળ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 10 રિમાન્ડની માગ કરી હતી. જો કે, નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી મહેન્દ્ર પટેલના 2 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપ છે કે મહેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના એક સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેની ધરપકડ કરાઈ હતી.
રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં RTIથી વિગતો મેળવી કરતો તોડ કરતા શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે CID ક્રાઈમ (CID Crime)માં ફરિયાદ નોંધાઇ છે. મહેન્દ્ર પટેલ શાળાઓમાં અરજીઓ કરીને શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે#gandhinagar #education… pic.twitter.com/62PAtTbwgb
— Gujarat First (@GujaratFirst) January 28, 2024
ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાયો હતો. સુરતના શાળા સંચાલક પ્રવિણભાઈ કેશુભાઈ ગજેરાની ફરિયાદના આધારે મહેન્દ્ર સામે ગુનો નોંધાયો છે. મહેન્દ્ર એ જય અંબે વિદ્યાભવન શાળાના ટ્રસ્ટીને ધમકી આપી 66 લાખનો તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
RTI એક્ટિવિસ્ટ છે મહેંદ્ર પટેલ
ગાંધીનગરના સેકટર– 7/ડીમાં રહેતો RTI એક્ટિવિસ્ટ મહેંદ્ર નનુભાઈ પટેલ ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો–ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતો હતો. ગુજરાતના અલગ-અલગ 18 શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી મહેન્દ્રએ 66 લાખનો તોડ કર્યો હતો. મહેંદ્ર પટેલને ક્રાઇમે (CID ) ઉઠાવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જય અંબે વિદ્યાભવનનના ટ્રસ્ટી પ્રવિણભાઇ કેશુભાઈ ગજેરા સુરતમાં રહે છે. તેઓ વર્ષ 2008 થી જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ગુજરાતમાં બરોડા, ભરૂચ, રાજપીપળા, સુરત, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, નવસારી, વલસાડ, ધરમપુર, ભીલાડ, વાપી, ચીખલી વિગેરે મળી કુલ- 18 સ્કૂલો ચલાવે છે.
આ પણ વાંચો – Earthquake : કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ધરા ધ્રૂજી, આંચકો અનુભવતા લોકો બહાર દોડ્યા