Home » જિલ્લા કલેકટર સહિત ઇલેક્શન ઓબ્સર્વર ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું
જિલ્લા કલેકટર સહિત ઇલેક્શન ઓબ્સર્વર ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
95
ભરૂચ (Bharuch)જિલ્લાની પાંચ વિધાનસભાની(Five assemblies)બેઠકનું મતદાન બાદ મત ગણતરી ભરૂચની કે જેપોલિટેકનિક કોલેજ(Polytechnic College)ખાતે યોજાનારી છે જેના ભાગરૂપે જિલ્લા કલેકટર (District Collector)સહિત ચૂંટણી વિભાગના અધિકારીઓએ મત ગણતરી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાઈ તેના તમામ પ્રયાસો હાથ કર્યા હતા.
વિધાનસભાની પાંચ બેઠકોની મતગણતરી કરવામાં આવશે
ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકોનું કાઉન્ટિંગનો કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે આવતીકાલે ૮ ડિસેમ્બર શહેરની કે જે પોલિટેકનિક કોલેજ ખાતે તમામ પાંચ બેઠકોની મતગણતરી કરવામાં આવશે મત ગણતરીના સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે
ત્યારે મતદારોના મનનો મિજાજ કેવો છે તેનો ગણતરી બાદ જ ખુલાસો થશે મતદારો ભાજપ પર ભરોસો કરશે કે કોંગ્રેસનો કોમ્બેક થશે કે પછી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થશે તેના પર લોકોની મીટ મંડાઇ છે. આ મત ગણતરી સમય ચૂંટણી પંચના નેજા હેઠળ કુલ ૧૪ ટેબલ પર કામગીરી થનાર છે એક ટેબલ પર એક સુપરવાઇઝર એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર એક માઈક્રો ઓબ્ઝર્વેર અને એક ચૂંટણી અધિકારી હશે એટલે કે કુલ ૫૬ અધિકારીઓ મત ગણતરીમાં હાજર રહેવાના છે
પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ત્યારે પોલીસ બંદોબસ્ત વાત કરીએ તો એક એસ.પી, ૫ ડિવાઇસપી.૧૬ પીઆઇઆઇ,૩૭ પીએસઆઇ, ૫૭૨ પોલીસ સ્ટાફ,સીએપીએફ ૪ પ્લાટુન, ૨૮૮ હોમગાર્ડ જવાનો તેનાત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે આવતીકાલે યોજાનાર મત ગણતરીના દિવસે સવારે ૬ વાગેથી કોલેજ રોડ બંધ રાખવામાં આવ્યો છે
જેના કારણે એબીસી ચોકડીથી શીતલ સર્કલ સુધી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. કોલેજ રોડ પ પ્રતિબંધ રહેતા એબીસી ચોકડી તરફથી આવતા વાહનો કે જે પોલિટેકનિક કોલેજ પાસેના નારાયણ કોમ્પલેક્ષની બાજુમાંથી પસાર થતા રોડ પરથી ધર્મનગર ટાઉનશિપ થઈ જ્યોતિનગર થી કશક સર્કલ થઈ શીતલ સર્કલ પાસે આવેલા નર્મદા મૈયા બ્રીજના કટથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અંકલેશ્વર તરફ જઈ શકશે
તેવી જ રીતે અંકલેશ્વર તરફથી આવતા વાહનો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી શીતલ સર્કલ તરફ ઉતરતા કટથી બ્રિજના ઉપરના ભાગેથી કોલેજ તરફ આવતા વાહનો પર પ્રતિબંધ રહેતા આ વાહનો ગોલ્ડન બ્રિજથી તેમજ નર્મદા મૈયા બ્રીજના દક્ષિણ છેડા તરફથી શીતલ સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર ઉતરી શીતલ સર્કલથી કશક સર્કલ થઈ ઝાડેશ્વર રોડ ઉપરથી જ્યોતિનગર થઈ ધર્મનગર ટાઉનશીપ થઈ એબીસી સર્કલ જઈ શકશે..
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject