ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે . સકારાત્મક માહોલમાં આ ચર્ચા દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગોના નિકાલને લઈ સરકારનો હકારાત્મક પ્રત્યુતર આવતા એસટી કર્મચારી મંડળ સાથે સમાધાનના સ્પષ્ટ સંકેત મળ્યા છે. પડતર પ્રશ્નોના સમાધન પહેલા એસટી કર્મચારી સંગઠને ખુશી વ્યક્ત કરી છે.