Home » હરિહરાનંદ સ્વામી જુનાગઢ આશ્રમમાં રહેવા સ્વામી રાજી થયા
હરિહરાનંદ સ્વામી જુનાગઢ આશ્રમમાં રહેવા સ્વામી રાજી થયા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
91
હરિહરાનંદ સ્વામીને લઇ પોલીસ વડોદરા પહોંચી, સ્વામીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઇ આવવામાં આવ્યા છે. ગુમ થવા અંગે હરિહરાનંદ સ્વામીની પુછપરછ કરવામાં આવી રહી છે. સરખેજ આશ્રમનાં વિવાદ અંગે મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે. અનેક લોકોના નામ પણ સામે આવી શકે છે. હરિહરાનંદ સ્વામીને લઇ પોલીસ જુનાગઢ રવાના થઇ, જુનાગઢ આશ્રમમાં રહેવા સ્વામી રાજી થયાં છે
સરખેજ અને ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતીબાપુ સરખેજ આશ્રમના વિવાદને લઈને કોઈને જાણ કાર્ય વગર નીકળી ગયા છે. હરિહરાનંદ સ્વામીને તાજેતરમાં યોજાયેલા શિવરાત્રી મેળા વખતે જ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી. બ્રહ્મલીન ભારતીબાપુએ પોતાના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીના નામનું વિલ કરી આપ્યું હતું.
જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ સ્વામી 30 એપ્રિલે વડોદરાથી અચાનક જ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા. જોકે, તેઓ ગુમ થઈ જવાથી આશ્રમના સંતો અને સેવકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. પરંતુ મહારાષ્ટ્રના નાસિક પાસેથી હરિહરાનંદ સ્વામી મળી આવ્યા છે. ભારતી આશ્રમનાં સેવકોએ બાપુને શોધી કાઢ્યા છે. હરિહરાનંદ સ્વામી એક ટેક્ષીમાંથી સલામત રીતે મળી આવ્યા છે. સેવકો બાપુને લઇ નાસિકથી વડોદરા આવવા રવાના થઇ ચુક્યા છે. અંદાજિત 1 વાગ્યા આસપાસ હરિહરાનંદ સ્વામી સેવકો સાથે વડોદરા પહોંચશે.
હરિહરાનંદ સ્વામી મામલે મોટો ઘટસ્ફોટ
સરખેજ ભારતી આશ્રમનાં સંત યદુનંદ સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. હરિહરાનંદ સ્વામીને ઋષિ ભારતી કરતાં હતાં હેરાન. સરખેજ આશ્રમનાં વિવાદમાં રાજકીય સંડોવણી. ધારાસભ્યો અને સાંસદ દ્વારા કરાતું હતું દબાણ. સરખેજ સનાથલ આશ્રમનાં ગાદીપતિ છે ઋષિ ભારતી. સરખેજ આશ્રમ પોતાનાં નામે કરાવવા ઋષિ ભારતી દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હરિહરાનંદ બાપુને ધાક ધમકી આપવામાં આવતી હતી. ઋષિ બાપુ સાથે સમાધાન કરવા માટે બાપુને દબાણ કરવામાં આવતું હતું . ઋષિ ભારતી બાપુને ધારાસભ્યો અને સાંસદ સમર્થન કરી રહ્યા છે.
ચિઠ્ઠી લખી થયા હતા ગાયબ
જાણીતા સંત મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમની ગાદી સંભાળનારા હરિહરાનંદ સ્વામી બે દિવસથી સંપર્કવિહોણા થયા છે. ભારતી બાપુના દેહાંત બાદ આશ્રમની સંપતિને લઇને થતા વિવાદના કારણે તેઓ વ્યથિત હતા.આ કારણસર તેઓ કોઈને જાણ કાર્ય વગર જતા રહ્યા છે. જતા પહેલા તેમણે એક ચિઠ્ઠી અને વિડીયો દ્વારા પોતાને જવાનું કારણ કહ્યું હતું. હરિહરાનંદ સ્વામીનો આ વિડીયો તેમજ ચિઠ્ઠી ખૂબ વાયરલ થયા હતા.
ચિઠ્ઠીમાં લખ્યું છે કે ‘મારા ગુરુજી બ્રહ્મલીન થયા પછી સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ખૂબ થયો છે. વીલ મારા નામનું છે છતા પણ હું સનાથળ આપવા તૈયાર હતો. આ વિવાદનું નિવારણ આવતું નથી. કોઇ મારું કહેવું માનતું નથી. હું કંટાળીને નિકળી ગયો છું. મને યેન કેન રીતે હેરાન કરવામાં આવે છે. ખોટા દબાણો કરાય છે.’
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject