માણાવદરમાં સરકારી દવાઓ, વેક્સિન, અને સીરપની બોટલો સહિતનો કચરામાં નાખી દીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે આવડો મોટો દવાનો જથ્થો ફેંકી દેવાનું કારણ શું ? તેઓ પ્રશ્ન ચર્ચા રહ્યો છે. ત્યારે આ ડેમની સાઈટમાં આટલી મોટી દવાઓ વેડફાતા સમગ્ર ઓપરેશનને ખુલ્લું પડાયું હતું. વાત એવી છે કે માણાવદર- જુનાગઢ હાઈવે પર દગડ ડેમ અને ભાલેચડા ડેમ આવેલા છે ત્યારે આ ભાલેચડા ડેમની અંદર મોટા પ્રમાણમાં દવાઓ, વેક્સિન, બાટલા અને સીરપની દવાઓ મળી આવી ત્યારે આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગમાં લીધા વગર કેમ નાખી દેવામાં આવ્યું છે તે પ્રશ્ન આરોગ્ય તંત્રને પૂછવામાં આવે છે.
આ પણ વાંચો : સરકારનો નિર્ણય, લગ્ન નોંધણી વખતે દંપતીનું Thalassemia certificate જોડવું પડશે