Download Apps
Home » TODAY HISTORY : શું છે 9 માર્ચની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

TODAY HISTORY : શું છે 9 માર્ચની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

સંકલન:-પોપટભાઇ પટેલ,ઘેલડા

 

TODAY HISTORY : આમ તો દરેક દિવસ ખાસ હોય છે પણ ઘણી તારીખો કેલેન્ડરના પાના સાથે ઇતિહાસના પાને પણ અંકાય છે, જાણો આજના દિવસના ઇતિહાસમાં (TODAY HISTORY) નોંધાયેલા મહત્ત્વના બનાવો ઘટનાઓ અને આજની તારીખે જન્મેલા મહાનુભાવો અને વીરલ વ્યક્તિત્ત્વની પુણ્યતિથિ. જાણો આજની તારીખ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. કેવી રીતે આજનો દિવસ ઇતિહાસના પાને અંકાયેલ છે.

 

૧૯૫૫ – ભગવદ્ગોમંડલ ગ્રંથ શ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ પ્રસિદ્ધ થયો.
ભગવદ્ગોમંડળની રચના ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી. તેમણે છવ્વીસ વર્ષના સંશોધનને અંતે ગુજરાતી ભાષા માટેનો ગ્રંથ “ભગવદ્ગોમંડલ” રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે.ભગવદ્ગોમંડલ શબ્દની સંધી છૂટી પાડતા, ‘ભગવત્’ અને ‘ગોમંડલ’ એમ બે શબ્દો મળે છે. માટે આ શબ્દની વ્યુત્પત્તિ વિષે અનેક તર્ક છે, જેને આધારે તેનો અર્થ કંઇક આ રીતે કરી શકાય: ‘ભગવત્’ એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે ‘ગોમંડલ’ એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.

સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, સામયિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આ પૈકી જે શબ્દોમાં તેમને સચ્ચાઈ જણાઈ તેનો તેમણે કોશમાં સમાવેશ કર્યો. તેમનો આગ્રહ હતો કે ગુજરાતી લોકોની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ તેમાં હોય.

શબ્દોના અર્થની સાથે સાથે, તેની વ્યુત્પત્તિ અને જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા.પહેલી ઓક્ટોબર ૧૯૨૮ના દિવસે ગોંડલમાં ‘ભગવદ્ગોમંડલ’ કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે ત્યાર સુધીનાં કરેલા સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી. ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ ૨૫મી ઓગષ્ટ ૧૯૪૪ના રોજ પ્રસિદ્ધ થયો જેમાં ૯૦૨ પાનાં હતાં જેમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેનાં ૫૧,૩૩૮ અર્થોનો સમાવેશ થયેલો હતો, આ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ ૯ માર્ચ ૧૯૫૫ના પ્રસિદ્ધ થયો હતો. આમ ૧૯૪૪થી ૧૯૫૫ એમ, ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે.

 

૧૯૫૯ – બાર્બી ડોલ સૌ પ્રથમ અમેરિકન ઇન્ટરનેશનલ ટોય ફેર, ન્યૂયોર્ક ખાતે બજારમાં મૂકાઈ.
બાર્બી એ અમેરિકન બિઝનેસવુમન રૂથ હેન્ડલર દ્વારા બનાવવામાં આવેલ ફેશન ડોલ છે, જેનું નિર્માણ અમેરિકન રમકડા અને મનોરંજન કંપની મેટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ૯ માર્ચ, ૧૯૫૮ના રોજ રજૂ કરવામાં આવી હતી. આ રમકડું જર્મન બિલ્ડ લિલી ઢીંગલી પર આધારિત હતું જે હેન્ડલરે યુરોપમાં હતી ત્યારે ખરીદ્યું હતું. ફેશન ડોલ્સ અને એસેસરીઝની શ્રેણીનો સમાવેશ કરતી નામના નામની બ્રાન્ડની આકૃતિ, બાર્બી છ દાયકાથી વધુ સમયથી રમકડાની ફેશન ડોલ માર્કેટનો મહત્વનો ભાગ છે.

Mattel એ એક અબજથી વધુ બાર્બી ડોલ્સનું વેચાણ કર્યું છે, જે તેને કંપનીની સૌથી મોટી અને સૌથી વધુ નફાકારક લાઇન બનાવે છે. આ બ્રાન્ડ ૧૯૮૪ થી મલ્ટીમીડિયા ફ્રેન્ચાઈઝીમાં વિસ્તરી છે, જેમાં વિડિયો ગેમ્સ, કોમ્પ્યુટર-એનિમેટેડ ફિલ્મો, ટેલિવિઝન/વેબ સિરીઝ અને લાઈવ-એક્શન ફિલ્મનો સમાવેશ થાય છે.

 

૧૯૬૦ – ડો. બેલ્ડિંગ હિબ્બાર્ડ સ્ક્રીબનરે પ્રથમ વખત દર્દીમાં શંટ ઇમ્પ્લાન્ટ કર્યા, જેનાથી દર્દી માટે નિયમિત ધોરણે ડાયાલિસિસ શક્ય બન્યું.
દવામાં, શંટ એ એક છિદ્ર અથવા નાનો માર્ગ છે જે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પ્રવાહીને ખસેડે છે અથવા તેને ખસેડવાની મંજૂરી આપે છે. આ શબ્દ જન્મજાત અથવા હસ્તગત શંટનું વર્ણન કરી શકે છે; હસ્તગત શંટ કાં તો જૈવિક અથવા યાંત્રિક હોઈ શકે છે.બેલ્ડિંગ હિબાર્ડ સ્ક્રિબનર અમેરિકન ચિકિત્સક હતા અને કિડની ડાયાલિસિસમાં અગ્રણી હતા.સ્ક્રિબનરે ૧૯૪૫માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમની તબીબી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મિનેસોટાના રોચેસ્ટરમાં મેયો ક્લિનિક ખાતે અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ ૧૯૫૧ માં વોશિંગ્ટન યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઑફ મેડિસિન ફેકલ્ટીમાં જોડાયા હતા.

સ્ક્રિબનરે એથેલ હેકેટ સાથે લગ્ન કર્યા હતા. અને અગાઉના લગ્નથી ચાર બાળકો હતા: પીટર, રોબર્ટ, થોમસ અને એલિઝાબેથ.૧૯૬૦ માં, તેમણે, વેઈન ક્વિન્ટન અને ડેવિડ ડિલાર્ડે એક સફળ ઉપકરણ, સ્ક્રિબનર શંટની શોધ કરી. ઉપકરણે પછીથી વિશ્વભરમાં અંતિમ તબક્કામાં કિડનીની બિમારી ધરાવતા અસંખ્ય લોકોના જીવન બચાવ્યા. ક્લાઈડ શિલ્ડ્સની સારવાર કરાયેલ પ્રથમ દર્દી હતી; નવી શન્ટ ટેકનીક સાથેની સારવારને કારણે, તે અગિયાર વર્ષથી વધુ સમય સુધી તેની ક્રોનિક કિડની ફેલ્યોરથી બચી ગયો, ૧૯૭૧માં તેનું મૃત્યુ થયું.

 

૧૯૬૧-સ્પુટનિક 9 સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું, એક કૂતરો અને માનવ ડમી લઈને, અને દર્શાવ્યું કે સોવિયેત યુનિયન માનવ અવકાશ ઉડાન શરૂ કરવા માટે તૈયાર હતું.કોરાબલ-સ્પુટનિક ૪ અથવા વોસ્ટોક-3કેએ નંબર ૧, જેને પશ્ચિમમાં સ્પુટનિક ૯ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સોવિયેત અવકાશયાન હતું જે ૯ માર્ચ ૧૯૬૧ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

મેનેક્વિન ઇવાન ઇવાનોવિચ, ચેર્નુષ્કા નામનો કૂતરો, કેટલાક ઉંદર અને પ્રથમ ગિની વહન અવકાશમાં ડુક્કર, તે વોસ્ટોક અવકાશયાનની પરીક્ષણ ઉડાન હતી.કોરાબલ-સ્પુટનિક 4 ૯ માર્ચ ૧૯૬૧ના રોજ 06:29:00 UTC પર, બાયકોનુર કોસ્મોડ્રોમ ખાતે સાઇટ 1/5 થી ઉડતા વોસ્ટોક-કે કેરિયર રોકેટની ઉપર લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને સફળતાપૂર્વક પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. અવકાશયાનનો હેતુ માત્ર એક જ ભ્રમણકક્ષા પૂર્ણ કરવાનો હતો, તેથી તેને પ્રક્ષેપણ પછી તરત જ ડીઓર્બિટ કરવામાં આવ્યું હતું, અને સોવિયેત યુનિયનની ઉપરના તેના પ્રથમ પાસ પર ફરી પ્રવેશ્યું હતું. તે 08:09:54 UTC પર ઉતર્યું, અને સફળતાપૂર્વક પુનઃપ્રાપ્ત થયું. ઉતરતી વખતે, તેની ઇજેક્શન સીટના પરીક્ષણમાં સ્પેસક્રાફ્ટમાંથી મેનીક્વિન બહાર કાઢવામાં આવી હતી, અને તેના પોતાના પેરાશૂટ હેઠળ અલગથી નીચે ઉતરી હતી.

 

અવતરણ:-

 

૧૯૩૬-નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, ‍(ઉપનામ: વૈદ્ય નિર્દભકર આનંદકર
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, (૯ માર્ચ ૧૮૩૬ – ૭ ઓગસ્ટ ૧૮૮૮) ‍(ઉપનામ: વૈદ્ય નિર્દભકર આનંદકર) ગુજરાતી ભાષાના વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર હતાતેમનો જન્મ સુરતમાં થયો હતો. ૧૮૫૩માં તેમણે મેટ્રિક ઉત્તિર્ણ કર્યું અને ગણિતશાસ્ત્રમાં વ્યુત્પન્ન વિદ્વાન બન્યા. પ્રતિકૂળ સંજોગોને કારણે કૉલેજનો અભ્યાસ ન કરી શક્યા. તેઓ ૧૮૫૪ થી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક અને ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના મુખ્યશિક્ષક રહ્યા હતા. ૧૮૭૦ થી અમદાવાદની ટ્રેનિંગ કૉલેજના વાઈસ-પ્રિન્સિપાલ અને ૧૮૭૬ થી રાજકોટની ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ રહ્યા. તેઓ ‘ગુજરાત શાળા પત્ર’ના તંત્રી અને બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી હતા.

એમણે મહારાજ લાયબલ કેસ વિશે અઢીસો પૃષ્ઠોની ઈનામી દીર્ધ પદ્યરચના (૧૮૬૩) કરી સાહિત્યક્ષેત્રે પ્રસ્થાન કર્યું.કરણઘેલો’વિશે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખ (૧૮૬૭) પ્રગટ કરી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભક બન્યા. ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના નાટકના અંગ્રેજી ભાષાંતર ‘મોક ડૉકટર’ઉપરથી સૂચિત હાસ્યનાટક ‘ભટનું ભોપાળું’ (૧૮૬૭) લખ્યું, જે આનંદલક્ષી છતાં તત્કાલીન સામાજિક કુરિવાજો પરના એમાંના કટાક્ષને કારણે હેતુપ્રધાન પણ બન્યું.રાસમાળામાંથી વસ્તુ લઈને એમણે રચેલું નાટક ‘વીરમતી’ (૧૮૬૯) પ્રથમ બે ગુજરાતી ઐતિહાસિક નાટકોમાંનું એક અને પાશ્ચાત્ય પરંપરા અનુસારનું છે.

‘અકબરશાહ અને બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ’(‘ગુજરાત શાળા પત્ર’માં હપ્તાવાર પ્રકાશિત, ૧૮૭૦-૮૦)માં એમણે બુદ્ધિતર્કયુક્ત અને સુરુચિપૂર્ણ હાસ્ય સાથે કાવ્યતત્ત્વની પ્રાથમિક ચર્ચા કરી છે. ‘બાળલગ્નબત્રીશી’ (૧૮૭૬)માં સુધારાના હેતુવાળી કરુણગર્ભ હાસ્યની, તો ‘બાળગરબાવાળી’ (૧૮૭૭)માં નારીજીવનના આદર્શની બોધક રચનાઓ છે. એમનાં પ્રકીર્ણ ઊર્મિકાવ્યોમાંથી કેટલાંકમાં પ્રણયનંા સંવેદન છે, તો કેટલાંકમાં તત્ત્વાભાસી ચિંતન છે. ‘મેઘદૂત’ (૧૮૭૦)માં એમણે ભાષાંતરકલાનો આદર્શ આલેખ્યો છે, પરંતુ ભાષાંતરમાં તે ચરિતાર્થ ઓછો થયો છે. ભાષાંતર માટે નવો સંયોજેલો માત્રામેળ ‘મેઘછંદ’ મૂળની વિપ્રલંભશૃંગારની પ્રૌઢિને ઝીલવામાં અસફળ રહ્યો છે. ‘કવિજીવન’ (૧૮૮૮)માં એમણે નર્મદના જીવન અને સાહિત્યનું શોધક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે. તત્કાલીન સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં સુધારક અને સાહિત્યકાર નર્મદનો પરિચય આપવા સાથે એમણે તેની વિચારસંક્રાતિમાં પણ સ્વસ્થ ચિંતનપુરુષને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.

એમનું વિવેચન કાવ્યતત્વવિચારણા , કવિસમીક્ષા અને ગ્રંથાવલોકન એમ ત્રણે પ્રકારે ખેડાયું છે. ઍરિસ્ટોટલના સાહિત્યવાદ, બેકનના બુદ્ધિવાદ અને મિલના ઉપયોગિતાવાદના સમન્વવયરૂપે નવું રસશાસ્ત્ર આપવાની એમની કલ્પના હતી. એમનો નીતિવાદ સૌન્દર્યલક્ષી છે. એમણે નર્મદ, દલપત અને પ્રેમાનંદની સમગ્રલક્ષી સમીક્ષા કરી છે અને આનુષંગિક રીતે શામળ, દયારામ આદિ કવિઓની ચર્ચા કરી છે. પ્રથમ ગ્રંથાવલોકનકાર તરીકે એમણે ‘મોહન, બોધન અને શોધન’ એ ત્રણે પ્રકારના ગ્રંથોના અવલોકનોમાં ગ્રંથ યોજના અને કૃતિના વિચારનું મહત્ત્વ દર્શાવી, તદનુસાર વિવેચનો કરી વિવેચનનો ઊંચો આદર્શ સ્થાપ્યો છે. ઉત્તમ ગ્રંથનો પુરસ્કાર, નિર્માલ્ય ગ્રંથનો તિરસ્કાર અને આશાસ્પદ લેખકોને પ્રોત્સાહન-એ એમનો વિવેચક તરીકેનો અભિગમ છે.

પૂણ્યતિથિ;-

૧૯૪૭ – ઝવેરચંદ મેઘાણી, ગુજરાતી કવિ અને લેખક

તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણિક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’- એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું.

ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

આ પણ  વાંચો- TODAY HISTORY : શું છે 8 માર્ચની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

આ પણ  વાંચો- TODAY HISTORY : શું છે 7 માર્ચની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

આ પણ  વાંચો- TODAY HISTORY : શું છે 6 માર્ચની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?