વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે, તેઓ આજે સાંજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. દરમયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો.
આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.@narendramodi pic.twitter.com/c3iXoIO2V8
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2023
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે એર એબ્યુલન્સ માધ્યમથી મુંબઇમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની તબિયત સુધારા પર હતી.