- કાપડ માર્કેટમાં થતી ઠગાઈમાં વધારો
- એક સાથે 10 વેપારીઓના પૈસા ફસાતા વેપારીઓ અટવાયા
- અલગ અલગ કાપડ માર્કેટના વેરીઓ દ્વારા સલાબતપૂરા પોલીસના ચોપડે ફરિયાદ નોંધાઇ
- બે આરોપીઓએ કુલ 10 વેપારીઓને 67.76 લાખમાં નવડાવી દીધા
Home » જાણો એવું તે શું થયું કે સુરત શહેરના કાપડ વેપારીઓને આવ્યો રડવાનો વારો
જાણો એવું તે શું થયું કે સુરત શહેરના કાપડ વેપારીઓને આવ્યો રડવાનો વારો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
230
વિશ્વભરમાં સુરત શહેર કાપડ ઉદ્યોગ તરીકેની એક આગવી ઓળખ ધરાવે છે. જોકે, હાલ સુરતના કાપડ માર્કેટનો હાલ બેહાલ થઇ ગયો એમ આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. છતાં કાપડ વેપારીઓએ રડવાનો વારો આવ્યો છે. સુરત શહેરના અલગ અલગ માર્કેટમાં દુકાન ધરાવતા 10 જેટલા વેપારીઓના પૈસા ફસાતા વેપારીઓની હાલત કફોડી બની છે.
સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલા પ્રખ્યાત એવા મિલેનિયમ માર્કેટ-4માં દુકાન ધરાવતા ઠગબાજ વેપારીએ અન્ય વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. ઠગ વેપારીએ સુરતમાં કાપડ દલાલ સાથે મળી કુલ 10 વેપારીઓને 67.76 લાખમાં નવડાવી દીધા છે. ઠગબાજે બે કાપડ દલાલ મારફતે શહેરના અલગ અલગ કાપડના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના માલની ખરીદી કરી સમયસર પૈસા ચૂકવી દેવાના વાયદાઓ આપ્યા હતા. તેમને વિશ્વાસમાં લઈ મોટા પ્રમાણમાં માલ ખરીદી કરી અન્ય જગ્યાએ વેચી નાખી કમાણી કરી હતી. જોકે, બાદમાં ઠગ વેપારીએ અન્ય વેપારીઓને માલના પૈસા નહીં આપી દુકાન ખાલી કરી ફરાર થઇ ગયા હતા. જેથી છેતરાયા હોવાનું ભાન થતા ભોગ બનનાર વેપારીઓએ સ્લાબત પૂરા પોલીસના બારણાં ખખડાવ્યા હતા, સલાબત પૂરા પોલીસમાં ફરિયાદ નોંધાતા વેપારી ઓની કફોડી હાલત જોઈ પોલીસે ઠગાઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ સર્મપણ બંગ્લોઝમાં રહે છે. અશ્વિન બાલુભાઈ ઠુમ્મર જે વ્યવસાય એ કાપડનો ધંધો કરે છે, જેઓ મિલેનિયમ માર્કેટ-4માં દુકાન ધરાવે છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ અશ્વિન ઠુમ્મરની અને સુરેશ પુરોહીત વિરૂદ્ધ પોલીસે કાયદસરની કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદના આધારે બન્ને વેપારી ઓએ અન્ય દસ જેટલા વેપારીઓ સાથે આ પ્રમાણેની ઠગાઈ કરી હતી
ગત તા.13 એપ્રિલ 2022થી ભાઠેના સિધ્ધ વિનાયક મંદિર પાસે રીધ્ધી સીધી ક્રીએશનના નામે ધંધો કરતા સુરેશ વધારામજી પુરોહિત અને જલાલ યોગેશ કાંતીલાલ વસોયા અને હિતેશ કાનજી વઘાસીયા મારફતે કુલ રૂપીયા 16,24,770નો જયારે અન્ય વેપારી ભાભોર કલ્પેશ ગવલીંગ પાસેથી રૂપિયા 10,58,130 અમીતકુમાર મણીલાલ કુનડીયા પાસેથી 7,12,110 ભરત ફુલા સાવલીયા પાસેથી 4,08,000 ઈશ્વર ભીમજી વસોયા પાસેથી 2,99,477 પ્રગ્નેશ નવીન ટોપીયા પાસેથી 4,51,322 ઝુબેર શબ્બીર ફુટવાલા પાસેથી 5,97,631 રેખાબેન ટાંક થતા વિવેક બાબરીયા પોથી 6,21,600 નો મળી કુલ રૂપિયા 67,76,764 નો કાપડનો માલ ખરીદવાની સાથે જોબવર્કનું કામ કરાવ્યું હતું. જોકે, નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓએ પેમેન્ટ નહી આપી દુકાનબંધ કરી છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે અશ્વિન ઠુમ્મરની ફરિયાદ લઈ સુરેશ પુરોહીત અને બંને દલાલો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject