Download Apps
Home » આ રસપ્રદ વાત જે શિવજી ફક્ત પાર્વતીજીને ગુપ્તમાં કહેવા ઈચ્છતા હતા, જાણો અમરનાથ યાત્રાનો ઇતિહાસ..

આ રસપ્રદ વાત જે શિવજી ફક્ત પાર્વતીજીને ગુપ્તમાં કહેવા ઈચ્છતા હતા, જાણો અમરનાથ યાત્રાનો ઇતિહાસ..

અમરનાથ યાત્રા 30મી જૂનથી શરૂ થઇ ગઇ છે. શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ તરફ આગળ વધી રહ્યા છે. આ પવિત્ર યાત્રા 11 ઓગસ્ટ સુધી ચાલશે. બાબા બર્ફાની હિમાલયની ગોદમાં બિરાજમાન છે. જેના દર્શન માટે દર વર્ષે લાખ્ખો ભક્તો ઉમટી પડે છે. આ યાત્રા સાથે એક ધાર્મિક કથા પણ જોડાયેલી છે. આવો જાણીએ અમરનાથ યાત્રાનો ઇતિહાસ.. 

એકવાર દેવી પાર્વતીએ મહાદેવને પૂછ્યું, એવું કેમ છે કે આપ અજર અમર છો. અને મારે દરેક જન્મ પછી નવા સ્વરૂપમાં આવી, વર્ષોના તપ પછી આપને પ્રાપ્ત કરવા પડે છે. આપના ગળામાં પડેલી નરમુંડ માળા અને આપના અમર થવાનું રહસ્ય શું છે? મહાદેવે પહેલા તો પાર્વતીના સવાલોના જવાબ આપવાનું ઉચિત ન સમજ્યું, પરંતુ પછી પત્નીહઠને કારણે કેટલાક ગુઢ રહસ્ય તેમણે જણાવવા પડ્યા.. જે જગ્યાએ મહાદેવે દેવી પાર્વતીને આ ગુપ્ત રહસ્યોની કથા સંભળાવી તે જગ્યા એટલે અમરનાથની ગુફા.
 
હિમાલયમાં અમરનાથ, કૈલાશ અને માનસરોવર તિર્થસ્થળો પર લાખ્ખો શ્રદ્ધાળુઓ પહોંચે છે.  પગે ચાલીને દુર્ગમ યાત્રા કરે છે. આ વિશ્વાસ કંઇ એમનેમ જ નથી પેદા થયો. શિવના પ્રિય અધિકમાસ અથવા અષાઢની પૂર્ણિમાથી શ્રાવણમાસની પૂર્ણિમા વચ્ચે અમરનાથની યાત્રા ભકતોને ખુદની સાથે જોડાયેલા રહસ્યોને કારણે વધુ પ્રાસંગિક લાગે છે.
શિવ મહાપુરાણોમાં મૃત્યુથી લઇને અજર-અમર થવા સુધીના અનેક પ્રસંગો છે. જેમાં એક સાધના સાથે જોડાયેલી અમરકથા ખૂબ જ રોચક છે. જેને ભક્તજનો અમરત્વની કથાના રૂપે માને છે.. 
પૌરાણિક માન્યતા અનુસાર અમરનાથની ગુફા એ સ્થાન છે, જ્યાં ભગવાન શિવે માઁ પાર્વતીને અમર થવાના ગુપ્ત રહસ્યો જણાવ્યા હતા. તે દરમ્યાન ત્યાં શિવ અને પાર્વતી સિવાય ત્રીજુ કોઇ પ્રાણી ન હતું.. ના તો મહાદેવના નંદી હતા કે અને ના તો તેમનો નાગ. ના તો માથા પરની ગંગા, કે ના તો કપાળ પરનો ચંદ્ર.. આ સાથે ના તો ગણપતિ હતા કે ના તો કાર્તિકેય.. 
  • ગુપ્ત સ્થાનની શોધમાં મહાદેવે પહેલા તો નંદીને સૌથી પહેલા છોડ્યો. મહાદેવે જે જગ્યા પર નંદીનો ત્યાગ કર્યો તે જગ્યા પહેલગામ કહેવાય છે.. અમરનાથની યાત્રા અહીંથી જ શરૂ થાય છે..
  • ત્યાંથી થોડા આગળ જતા શિવજીએ ગણેશજીનો ત્યાગ કર્યો, તે જગ્યા ગણેશટોપ કહેવાય છે. 
  • બાદમાં થોડે આગળ જઇને  શિવજીએ પોતાના કપાળમાંથી ચંદ્રમાને અલગ કરી દીધા. આ જગ્યા ચંદનવાડી કહેવાય છે.
  • ત્યાંથી થોડા આગળ જતા તેમણે પોતાની જટામાંથી ગંગાનો ત્યાગ કરી દીધો. આ જગ્યા પંચતરણી કહેવાય છે.
  • અને બાદમાં જે જગ્યા પર તેમણે કંઠના આભુષણ સમાન સર્પોનો ત્યાગ કરી દીધો તે જગ્યા શેષનાગ કહેવાય છે.   
એક પછી એક જીવદાયી પાંચ તત્વોને પોતાનાથી અલગ કર્યા બાદ મહાદેવે પાર્વતી સાથે એક ગુફામાં પ્રવેશ કર્યો.. કોઇ ત્રીજી વ્યક્તિ, પ્રાણી કે પશુપક્ષી ગુફામાં પ્રવેશી આ કથા ન સાંભળી લે તે માટે મહાદેવે ચારે તરફ અગ્નિ પ્રજવલિત કરી દીધી. અને ત્યારબાદ તેઓ પાર્વતીજીને કથા સંભળાવવા લાગ્યા. 
દરમ્યાન પાર્વતીને કથા સાંભળતા-સાંભળતા નિંદ્રા આવી ગઇ અને તેઓ સુઇ ગયા. મહાદેવ કથા સંભળાવવામાં મસ્ત હતા. તેમને એ વાતનો બિલકુલ અણસાર નહોતો કે પાર્વતીજી સુઇ ગયા છે. તેઓ કથા બોલતા જ રહ્યા અને તે દરમ્યાન ત્યાં છુપાયેલું કબૂતરનું જોડું ખૂબ જ શાંતિપૂર્વક મહાદેવજીની આ કથા સાંભળતું રહ્યું. જ્યારે મહાદેવને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ક્રોધથી કબૂતરના જોડાને ભસ્મ કરવા ગયા..
પરંતુ કબુતરોએ મહાદેવના ચરણોમાં પડી તેમની માફી માંગી. જે બાદ મહાદેવે તેમને એ જ સ્થળ પર શિવ-પાર્વતીના પ્રતિક ચિન્હ્ રૂપે નિવાસસ્થાન કરવાના આશિર્વાદ આપ્યા.આ રીતે કબૂતરનું જોડું અમર થઇ ગયું. અને આ ગુફા અમરકથાની સાક્ષી થઇ ગઇ. 
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
By Dhruv Parmar
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…