અમરનાથ યાત્રા 30મી જૂનથી શરૂ થઇ ગઇ છે. શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ તરફ આગળ વધી રહ્યા છે. આ પવિત્ર યાત્રા 11 ઓગસ્ટ સુધી ચાલશે. બાબા બર્ફાની હિમાલયની ગોદમાં બિરાજમાન છે. જેના દર્શન માટે દર વર્ષે લાખ્ખો ભક્તો ઉમટી પડે છે. આ યાત્રા સાથે એક ધાર્મિક કથા પણ જોડાયેલી છે. આવો જાણીએ અમરનાથ યાત્રાનો ઇતિહાસ..
- ગુપ્ત સ્થાનની શોધમાં મહાદેવે પહેલા તો નંદીને સૌથી પહેલા છોડ્યો. મહાદેવે જે જગ્યા પર નંદીનો ત્યાગ કર્યો તે જગ્યા પહેલગામ કહેવાય છે.. અમરનાથની યાત્રા અહીંથી જ શરૂ થાય છે..
- ત્યાંથી થોડા આગળ જતા શિવજીએ ગણેશજીનો ત્યાગ કર્યો, તે જગ્યા ગણેશટોપ કહેવાય છે.
- બાદમાં થોડે આગળ જઇને શિવજીએ પોતાના કપાળમાંથી ચંદ્રમાને અલગ કરી દીધા. આ જગ્યા ચંદનવાડી કહેવાય છે.
- ત્યાંથી થોડા આગળ જતા તેમણે પોતાની જટામાંથી ગંગાનો ત્યાગ કરી દીધો. આ જગ્યા પંચતરણી કહેવાય છે.
- અને બાદમાં જે જગ્યા પર તેમણે કંઠના આભુષણ સમાન સર્પોનો ત્યાગ કરી દીધો તે જગ્યા શેષનાગ કહેવાય છે.