Home » રાહદારીઓને મળશે સુવિધા, અમદાવાદ-વડોદરા વચ્ચે હવે દોડશે ઇલેકટ્રીક બસ
રાહદારીઓને મળશે સુવિધા, અમદાવાદ-વડોદરા વચ્ચે હવે દોડશે ઇલેકટ્રીક બસ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
155
રાજ્યમાં હવે ઈલેક્ટ્રીક વાહનોને વેગ આપવા માટે ઈલેક્ટ્રીક એસટી બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત એસટી નિગમ દ્રારા રવિવારથી અમદાવાદથી વડોદરા વચ્ચે ઈલેક્ટ્રીક બસોનું સંચાલન શરુ કરવામાં આવી રહ્યુ છે.હાલ એસટી નિગમ પાસે બે ઈલેક્ટ્રીક બસો છે, જેની મદદથી રોજ આ બસના બે ફેરા કૃષ્ણનગરથી રેસકોર્સ વચ્ચે દોડાવવામાં આવશે.
હાલ 2 ઇલેકટ્રીક બસ દોડશે
હાલમાં નિગમ પાસે બે ઈલેક્ટ્રીક બસ છે.જેની મદદથી દરરોજ આ બસના બે ફેરા કૃષ્ણનગરથી રેસકોર્સ વચ્ચે દોડાવવામાં આવશે.નિગમ દ્રારા પ્રથમ તબક્કામાં 50 ઈલેક્ટ્રીક બસનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાંથી હાલ નિગમ ને ફક્ત 2 બસ મળી છે, જ્યારે 23 બસ એપ્રિલના અંત સુધીમાં તેમજ બાકીની 25 બસો મે મહિનાના અંત સુધીમાં નિગમને મળે તેવી શક્યતા છે.હાલમાં બે એસટી બસને ટ્રાયલના ભાગરૂપે દોડાવવામાં આવી રહી છે.
બસને 2 સ્થળોએ ચાર્જ કરાશે
કૃષ્ણનગરથી એક બસ દરરોજ સવારે 10 વાગે અને બીજી બસ સવારે 11 વાગે ઉપડી સીટીએમ થઈ એક્સપ્રેસ હાઈવેથી રેસકોર્સ વડોદરા સુધી જશે, જ્યારે રેસકોર્સથી એક બસ બપોરે 1.30 વાગે અને બીજી બસ 2.30 વાગે ઉપડી કૃષ્ણનગર પહોંચશે. 4 સીટની બેઠક ક્ષમતા ધરાવતી આ એસી પ્રીમિયમ બસમાં પેસેન્જરોને ભાડા પેટે 164 રૂપિયા ચૂકવવા પડશે. બસમાં સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.હાલમાં તો એક કે બે જગ્યાએ જ બસની બેટરી ચાર્જ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.સતત વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવના પગલે લોકોને હવે સરકારી વાહનોમાં પણ ઈલેક્ટ્રીક ઓપશન મળી રહેશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject