ગુજરાત એટીએસએ ગુજરાત રમખાણોના કેસમાં શનિવારે સામાજિક કાર્યકર્તા અને પત્રકાર તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરવામાં આવી હતી. તેમને આજે વહેલી સવારે ગુજરાત લઈ આવવામાં આવિ છે. આજે સવારે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને વડોદરાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવશે.
તેમની સંસ્થા `સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ’ ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદનું કાર્ય કરતી હતી. જો કે રમખાણ પીડિતોએ જે તે સમયે તિસ્તા સામે એવી ફરિયાદ કરી હતી કે પીડિતોની મદદના નામે દેશ વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા. 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ એવું સામે આવ્યું હતું કે તીસ્તા તેના પતિ જાવેદ અને અન્ય ત્રણ લોકોએ રૂ. 1 કરોડ 51 લાખની છેતરપિંડી કરી હતી. તિસ્તાએ 2019માં મહાકાળી માતાની તુલના ISISના આતંકવાદી સાથે કરતો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં એક આતંકવાદીના હાથમાં સુદર્શન ચક્ર દેખાડાયું હતું. આ મામલે તિસ્તા સામે વિરોધનો વંટોળ ભભૂકયો હતો અને તેમણે આ મામલે માફી માંગી હતી