મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિક્રમ સંવત 2080 ના પ્રારંભ દિવસે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો. ત્યારબાદ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજા માટે જશે. મંદિર દર્શન બાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે નાગરિકો – પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે