રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 35 દિવસ થઈ ચૂક્યા
છે. પરંતુ હજુ પણ યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા હજુ પણ યુક્રેન પર
આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી
વિશ્વભરના દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તે સંદર્ભમાં આજે
ઝેલેન્સકીએ નોર્વેમાં સંબોધન કર્યું હતું.
યુક્રેનના
રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નોર્વેની સંસદને સંબોધનમાં કહ્યું કે રશિયા
યુરોપના પાયાને નષ્ટ કરવા માંગે છે. નોર્વેની 169-સભ્ય સંસદ, સ્ટોર્ટિનજેટને
લાઇવ વિડિયો સંબોધનમાં ઝેલેન્સકીએ બુધવારે કહ્યું કે
યુરોપનું ભાવિ હવે નક્કી કરવામાં આવી રહ્યું છે. યુક્રેનમાં રશિયન સૈન્ય
પ્રવૃત્તિઓ વિશે બોલતા, ઝેલેન્સકીએ કહ્યું કે અહીં રશિયા માટે
કોઈ પ્રતિબંધિત લક્ષ્યો નથી. વિવિધ દેશોની સંસદોને સંબોધિત કરવા
દરમિયાન ઝેલેન્સકીએ યુક્રેનના સંસદસભ્યોને
સંબોધિત કર્યા. તેઓ અગાઉ યુએસ, યુકે, સ્વીડન, જર્મની, કેનેડા, ઈઝરાયેલ, જાપાન
અને યુરોપિયન યુનિયનને સંબોધિત કરી ચૂક્યા છે.
યુક્રેનની
સેનાએ કહ્યું કે રશિયન દળોએ તેના દેશના પૂર્વ ભાગમાં તેમની ગતિવિધિઓ તેજ કરી દીધી
છે. યુક્રેનના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે રશિયાએ ખાર્કિવની દક્ષિણે ઇઝુમ
નજીક તેની સૈન્ય ગતિવિધિ વધારી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે રશિયન દળોએ
પૂર્વી ડોન્સ્ક ક્ષેત્રમાં બોમ્બ ધડાકા અને હુમલાઓ તેજ કર્યા છે.