Download Apps
Home » Tharad : વિવાદ સવા બસ્સો કિમી દૂરનો, ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ

Tharad : વિવાદ સવા બસ્સો કિમી દૂરનો, ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ

Tharad : સમાજ કોઈપણ હોય પ્રસંગે વાદ વિવાદ, હરિફાઈ અને વર્ચસ્વ માટેની લડાઈ સામાન્ય બની ગઈ છે. આવી જ સ્થિતિ બનાસકાંઠાના થરાદ (Tharad) પાસે આવેલા જેતડા ગામે સર્જાઈ છે. જેતડા ગામ (Jetda) હાલ જૈન સમાજના બે જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ-હરિફાઈના કારણે સમાચારોમાં ચમક્યું છે.  આ વિવાદમાં આસોપાલવ (Asopalav) ના માલિક અને જૈન સમાજના અગ્રણી વાઘજીભાઈ વોરા (Vaghjibhai Vora) ને બદનામ કરવાનો ખેલ રચાયો છે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ (Viral Post) કરનારા અજાણ્યા તત્વો સામે નવરંગપુરા પોલીસે (Navrangpura Police) કોઈના ઈશારે ફરિયાદ નોંધી છે. બીજી તરફ જેતડા ગામે થરાદ પોલીસે (Tharad Police) દેરાસરના જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખવા બંદોબસ્ત ખડકી દીધો છે.જૈન સમાજમાં વર્ચસ્વની લડાઈથરાદ તાલુકા (Tharad) ના જેતડા ગામે જૈન સમાજના 160 જેટલા ઘર આવેલા છે. જે પૈકીના 90 ટકા પરિવાર અમદાવાદ (Ahmedabad) મુંબઈ (Mumbai) સુરત (Surat) સહિતના શહેરોમાં વસવાટ-ધંધો કરી રહ્યાં છે. જેતડા ગામે આવેલા જૂના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો છે. દેરાસરના જીર્ણોદ્ધારને લઈને જૈન સમાજના બે જૂથ સામ-સામે આવી ગયા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી આ મામલે થરાદ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દરમિયાનગીરી કરી રહ્યાં છે.અંજનશલાકા કોણ કરશે ?સૂત્રોના જણાવ્યાનુસાર થરાદ જૈન સમાજ (Tharad Jain Samaj) માં બે ફાંટા પડી ગયા છે. જેતડા ગામે 160 પરિવારમાં એક તરફ 120 પરિવાર અને બીજી તરફ 40 પરિવાર એમ બે જૂથ બન્યા છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી એક જ ગામ અને સમાજના લોકો વિખવાદ અને હરિફાઈ ચાલી રહી છે. તારીખ 22 ફેબ્રુઆરીના રોજ જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે અને આ દિવસે ભગવાન મહાવીર સ્વામી (Bhagwan Mahavir Swami) ની પ્રતિમાને અંજનશલાકા કયા મહારાજ સાહેબ કરશે તેને લઈને મોટો ઝઘડો છે. બંને જૂથ વચ્ચે સમાધાન કરાવવાના પણ પ્રયાસો થઈ રહ્યાં છે.જેતડાની ઘટના, ફરિયાદ અમદાવાદમાંTharad ના જેતડા ગામે જૈન સમાજના બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં આસોપાલવ (Asopalav) ના વાઘજીભાઈ વોરાનું નામ ઉછાળવામાં આવ્યું છે. જેતડા ગામના કેટલાંક જૈન અગ્રણીઓએ જીર્ણોદ્ધાર કાર્યક્રમને લઈને શ્રી જેતડા શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના નામનો ઉપયોગ કરતા આખો વિવાદ શરૂ થયો હતો. અખિલ ભારતીય ત્રિસ્તુતિક જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા 78 વર્ષીય વાઘજીભાઈ બબલદાસ વોરા (Vaghji B Vora) સહિતના આગેવાનો અને સામા જૂથના અગ્રણીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. આ દરમિયાનમાં ગત 15 ફેબ્રુઆરીના રોજ એક પોસ્ટર વાયરલ થયું હતું. જેમાં મહારાજ સાહેબ પર હુમલો કરવાની, દેરાસર જમીન દોસ્ત કરવાની,  દેરાસરની પ્રતિષ્ઠા અટકાવવાની તેમજ જૈન અગ્રણીના પરિવાર પર હુમલાની ધમકી આપનાર વાઘજીભાઈ અને તેમના સાથી શશીભાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ બાબત ધ્યાને આવતા વાઘજીભાઈ અને અન્ય અગ્રણીઓએ થરાદ પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત અખબારોમાં જાહેરખબર પણ આપી હતી. મામલો બનાસકાંઠાના Tharad તાલુકાના જેતડા ગામનો હોવા છતાં અમદાવાદ પોલીસે (Ahmedabad Police) અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. વોટ્સએપ (Whatsapp) પર વાયરલ થયેલા પોસ્ટર (Viral Poster) ની ફરિયાદમાં ક્યાંય ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી એક્ટ (IT Act) નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ  પણ  વાંચો PM Modi Gujarat visit : PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

 

શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ? IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ