Download Apps
Home » Controversy: પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ

Controversy: પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ

Controversy : રાજકોટ લોકસભા બેઠક (, Rajkot Lok Sabha Seat) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના નિવેદનથી વિવાદ (Controversy) સર્જાયો છે. રુપાલાના વિવાદીત નિવેદનથી રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી જેમાં અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં મળેલી બેઠકમાં રૂપાલાની ઉમેદવારી રદ્દ થાયથી માંડીને આગામી દિવસોમાં પુતળા દહનના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટમાં અનઔપચારીક કહ્યું હતું કે ‘એક બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે’

પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. રુપાલાના વિવાદિત નિવેદનથી રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. નિવેદન બાદ રૂપાલાએ માફી માગવા છતાં વિવાદ શમ્યો નથી. આ ઘટના બાદ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં બેઠક મળી હતી.

આ મુદ્દે કોઈ માફી નહિ ચાલે

કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્ર સિંહ જાડેજાએ કહ્યું કે અમારો સમાજ સમજદાર છે અને આ મુદ્દે કોઈ માફી નહિ ચાલે. તેમણે કહ્યું કે અમારે ટિકિટથી કોઈ લેવાદેવા નથી. આ અમારી અસ્મિતાનો સવાલ છે. આ મુદ્દો રાજકોટ લોકસભા બેઠક પૂરતો સીમિત છે અને માફી માંગવામાં આવી તે માત્ર હાલ ગરજ છે એટલે માંગવામાં આવી છે.

આ બાબતમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહિ

રાજકોટના પ્રમુખ પી.ટી.જાડેજાએ કહ્યું કે આ બાબતમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહિ.અમે જઈશું તો સમાધાન કરવામાં આવશે નહિ.22 કરોડ રાજપૂતનો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે અમે ભાજપના વિરોધી નથી.અમારી જોડે છેલ્લા 22 વર્ષ થી અન્યાય થાય છે. કોઈ પણ સમાધાન નહિ જો આખો સમાજ કહેશે તો જ સમાધાન થશે.વિધર્મી સામે લડી રાજપૂત સમાજના લોકો લડ્યા છે.અન્ય સમાજને બચાવા માટે બલિદાન આપેલ છે. તો રાજપૂત સમાજ આવી ટિપ્પણી નહીં ચલાવે. અમને બોલાવશે તો સમાધાન માટે બોલાવે છે નહી જઈએ.બોલીને ફરી જવું એ બાપુ હું નથી.

પરશોત્તમ રૂપાલાનું નામ રદ્દ કરવામાં આવે

ગોહિલવાડ રાજપૂત સમાજના સંયોજક વાસુદેવસિંહ ગોહિલે કહ્યું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું નામ રદ્દ કરવામાં આવે. રોટી બેટીની જે વાત કરવામાં આવી છે તે સમાજ સાંખી નહિ લે. રાજપૂત સમાજ જિલ્લા તાલુકા મથકે રૂપાલાનું પૂતળાં દહન કરશે. અમારો કોઈ પક્ષ સાથે વિરોધ નથી. અમારો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે. જો ઉમેદવાર નહિ બદલવામાં આવે તો ઉમેદવાર વિરૂધ્ધમાં મતદાન કરશે. ગુજરાતમાં 17% વસ્તી ક્ષત્રિય સમાજની છે. અમે પરિણામ બદલી શકવા સક્ષમ છીએ.

ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરીશું

ક્ષત્રિય મહાસભાના કરણસિંહ ચાવડાએ કહ્યું કે ગુજરાત રાજપૂત સમાજની આજે સંકલન બેઠક મળી હતી. પરશોત્તમ રૂપાલા એ જે વાણી વિલાસ કર્યો તે અમારી અસ્મિતા પર ઘા છે. 2 લાખ લોકોનું વિશાળ રાજકોટમાં મહા અધિવેશન મળશે. આગામી દિવસોમાં અમે ન્યાયિક મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરીશું. આગામી બે દિવસમાં કાર્યક્રમ મુદ્દે નિર્ણય લઈશું. તેમણે કહ્યું કે 16 એપ્રિલ પહેલાં પરશોત્તમ રૂપાલાને બદલો. ગુજરાતમાં 2 જગ્યા એ ઉમેદવાર બદલ્યા, નવું કઈ નથી. લોકશાહીમાં સંવાદ જરૂરી અને અમે સંવાદ કરવા તૈયાર પરંતુ પહેલા પરશોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ્દ થાય પછી સંવાદ.

વિવિધ મહાનુભાવો હાજર

બેઠકમાં ગુજરાત રાજપૂત વિદ્યાસભાના અશ્વિન સિંહ સરવૈયા, ગોહિલવાડ સમાજના વાસુદેવ સિંહ ગોહિલ, ઝાલાવાડ સમાજના ડો રુદ્રસિંહ ઝાલા, રાજકોટ પ્રમુખ પી. ટી જાડેજા, ક્ષત્રિય મહાસભા કરણસિંહ ચાવડા, યુવા પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

એક બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ

ક્ષત્રિય સમાજની નારાજગીનો મુદ્દે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે અનઔપચારીક રીતે કહ્યું કે એક બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા થઇ રહી છે. તેમણે રાજકોટમાં આગેવાનો સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચો—- Aravalli : સાબરકાંઠા બેઠક BJP માટે બની માથાનો દુ:ખાવો

આ પણ વાંચો—- Gujarat Election Commission : પરશોતમ રુપાલા અને મનસુખ માંડવીયા સામે ચુંટણી પંચમાં ફરીયાદ

 

ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
By Dhruv Parmar
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી