ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી,જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા હતા. સાથે જ મુખ્યમંત્રીએ નિમણુંક પત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશને વાંચીને સંભળાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પંચાયત વિભાગના મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા.