નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે જેનરીક દવાઓ જ લખવાની રહેશે. જો ડોક્ટર જેનરીક દવાના બદલે બ્રાન્ડેડ દવાઓ લખશે તો તેમનું લાઈસન્સ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે. હકીકતમાં કોઈપણ દર્દીને કઈ દવા આપવી તેનો નિર્ણય ઉત્તમ રીતે દવા કરનાર ડોક્ટર જ કરી શકે.
‘જેનરિક દવાઓ તે છે, જે સામાન્ય નામથી વેચાય છે. સામાન્ય અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે એકમાત્ર મુખ્ય તફાવત એ છબી બનાવવા અને વેચાણ વધારવા માટે ઉપયોગમાં લેવાતી માર્કેટિંગ વ્યૂહરચના છે. વર્ષોથી, દવા ઉદ્યોગ, દવા ઉત્પાદકોએ જેનરિક દવાઓના વધુ સારા વિકલ્પ તરીકે બ્રાન્ડેડ દવાઓની છબી બનાવી છે.
આ પણ વાંચો : Medicine : બ્રાન્ડેડ દવા અને જેનરીક દવાઓ વચ્ચે શું છે તફાવત,જાણો