ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે ગ્રુપ તબક્કાની મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 155 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. ભારતીય ટીમ માટે સ્મૃતી મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરુઆત અપાવી હતી. ઓપનર મંધાનાએ આજે તોફાની અંદાજમાં 87 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને કેટલાક જીવતદાન મળ્યા હતા. આયર્લેન્ડના ફિલ્ડરોએ કેટલાક કેચ મંધાના છોડ્યા હતા.
મંધાનાની શાનદાર ઈનીંગ
સ્મૃતિ મંધાનાએ શાનદાર ઈનીંગ રમી હતી. મંધાનાએ આક્રમક બેટિંગ કરીને ભારતીય ક્રિકેટ ચાહકોનુ દીલખુશ કરી દીધુ હતુ. તે શતક લગાવે એવી આશાઓ વ્યક્ત થઈ રહી હતી. પરંતુ આ દરમિયાન દરેક વખતની માફક તેને જીવત દાન મળ્યુ નહોતુ. ઈનીંગ દરમિયાન સ્મૃતિની જીવતદાન આપતા આયરીશ ફિલ્ડરોએ કેચ છોડ્યા હતા. મંધાનાએ 56 બોલમાં 87 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા જમાવ્યા હતા