- ગુજરાતની શાળાઓમાં 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતભરની શાળાઓમાં 20,000 નવી કોમ્પ્યુટર લેબની સ્થાપના કરવામાં આવશે. વિશ્વ બેંકની 4,200 કરોડની લોનનો ઉપયોગ સ્વાસ્થ્ય માળખાકીય સુવિધાઓ માટેની નવી યોજનાઓ માટે કરવામાં આવશે. ગુજરાતમાં 400 જ્ઞાન સેતુ શાળાઓ સ્થાપવા માટે રૂ. 64 કરોડ ફાળવવામાં આવશે.
- હેલ્થકેર સેક્ટર માટે 15,182 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 55 કરોડની ફાળવણી ઉપરાંત ગુજરાતમાં પાંચ નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે.
- વર્ષમાં બે વખત એલપીજી (LPG) સિલિન્ડરના ફ્રી રિફિલિંગ માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
- વિકલાંગોને સુવિધા સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય વિકલાંગ અને સંત સુરદાસ વિકલાંગ પેન્શન યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે. વિકલાંગ પેન્શન યોજના માટે 58 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- PNG, CNG વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. 50 વધુ ઈલેક્ટ્રિક બસો ખરીદવા માટે 24 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. EV ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે 217 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
- એસજી હાઈવેને 6 લેન બનાવાશે. અમદાવાદ-બગોદરા હાઈવેને પણ 6 લેન કરવામાં આવશે. દ્વારકામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે યાત્રાધામ કોરીડોર બનાવવામાં આવશે, ઉપરાંત દ્વારકામાં નવું એરપોર્ટ પણ બનાવવામાં આવશે.
- ગુજરાતમાં એરપોર્ટ અને એરસ્ટ્રીપના વિકાસ માટે 215 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2ને રૂ. 18,000 કરોડ મળશે. સાયન્સ સિટીના વિકાસ અને આધુનિકીકરણ માટે રૂ. 250 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- મજૂરોને રૂ.5માં ભોજન આપવા માટે 150 નવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સાથે ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા ગરીબ લોકોની સુખાકારી માટે ખર્ચ કરશે.
- ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈના સાધનો ખરીદવા સક્ષમ બનાવવા માટે રૂ. 1,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 2,808 કરોડની ફાળવણી કરવામાં આવશે.
- પરિવારમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય તો સંકટ મોચન હેઠળ રૂ. 20 કરોડ અને નિરાધાર બાળકોને પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક સહાય પૂરી પાડવા રૂ. 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.