ટીમ ઈન્ડિયામાં આજે સચિન તેંડુલકર બાદ કોઇ બેટ્સમેનને યાદ કરવામાં આવે છે તો તે વિરાટ કોહલી છે. ઘણીવાર એવી ચર્ચાઓ થાય છે કે વિરાટ સચિનના ઘણા રેકોર્ડને તોડશે. જોકે, વિરાટ કોહલી પાસે આજની મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ખાસ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક હશે. જીહા, આ શ્રીલંકા સામે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે જે હાલમાં સચિન તેંડુલકરના નામે છે અને વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાને છે. બીજા સ્થાને મહેન્દ્ર સિંહ ધોની છે. જો વિરાટ કોહલી આજની મેચમાં ઓછામાં ઓછી અડધી સદી ફટકારે છે તો તે શ્રીલંકા સામે બીજો ટોપ સ્કોરર બની જશે. કોહલીના નામે હાલમાં 48 મેચમાં 2,333 રન છે. શ્રીલંકા સામે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 139 રન છે. બીજી તરફ ધોનીએ શ્રીલંકા સામે 67 મેચમાં 2,383 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 છે. જો વિરાટ કોહલી આજે 51 રન બનાવશે તો તે આ રેકોર્ડમાં ધોનીને પાછળ છોડી દેશે. જ્યારે આ મામલે સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિનના નામે 84 મેચમાં 3,113 રન છે. સચિનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 138 રન છે.