Maha Shivratri 2024 : મહાશિવરાત્રીનો (Maha Shivratri 2024 ) તહેવાર દર વર્ષે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી સૌથી શુભ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે આ સાથે જ આ દિવસે જ્યોતિર્લિંગ પ્રકટ થયા હતા. પંચાગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ શુક્રવારે આવી રહી છે.
આ વખતે મહાશિવરાત્રી ( Maha Shivratri 2024) 8 માર્ચ 2024ના રોજ આવી રહી છે. આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે, મહાશિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને સારો જીવનસાથી મળે છે, વહેલા લગ્નની શક્યતાઓ રહે છે અને દાંપત્ય જીવનમાં સુખ આવે છે.આ વ્રત સ્ત્રી કે પુરુષ કોઈપણ કરી શકે છે. જો કે દર મહિને માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રીનું વ્રત અચૂક ફળ આપનારું માનવામાં આવે છે. તો આજના આ લેખમાં આપણે જાણીશું મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચેનો તફાવત અને તેમનુ મહત્વ.
પૂજાનો શુભ સમય (મહાશિવરાત્રી 2024 શુભ મુહૂર્ત)
- પ્રથમ પ્રહર પૂજાનો સમય – 8 માર્ચ સાંજે 06.25 થી 09.28 સુધી
- બીજા પ્રહરની પૂજાનો સમય – 9 માર્ચે રાત્રે 09.28 થી 12.31 સુધી
- ત્રીજા પ્રહરની પૂજાનો સમય – 9 માર્ચ મધ્યરાત્રિ 12.31 થી 03.34 સુધી
- ચતુર્થ પ્રહરની પૂજાનો સમય- 9 માર્ચ સવારે 03.34 થી 06.37
મહાશિવરાત્રી શું છે?
ભોલેનાથના નિરાકારથી ભૌતિક સ્વરૂપમાં અવતારની રાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે. મહાશિવરાત્રીનો તહેવાર એ ભગવાન શિવના દિવ્ય અવતારનો શુભ સંકેત છે.શિવરાત્રી સમાન પાપ અને ભય દૂર કરનાર બીજું કોઈ વ્રત નથી. આમ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે.આ દિવસે મહાદેવ શિવની ઉપાસના કરનારાઓને વાસના, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે દુર્ગુણોથી મુક્ત કરીને પરમ સુખ અને શાંતિ પ્રદાન કરે છે.આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા, તેથી આ દિવસે રાત્રે ભોલેનાથની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે.
શિવપુરાણ અનુસાર ચતુર્દશી તિથિને શિવલિંગ અને લગ્ન ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે, તેથી આ તિથિ શિવને પ્રિય છે. આ જ કારણ છે કે, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે જે લોકો શિવની આરાધના, ભક્તિ કરે છે તેમના લગ્ન જીવનમાં સુખ-શાંતિનું વરદાન મળે છે અને લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળે છે.
આ વખતે શિવરાત્રી કેમ છે ખાસ?
આ વખતે મહાશિવરાત્રી પર ગ્રહો પાંચ રાશિમાં રહેશે. મકર રાશિમાં ચંદ્ર અને મંગળ એક સાથે રહેશે. આ સંયોજનથી લક્ષ્મી નામનો યોગ બની રહ્યો છે. તેથી આ વખતે શિવરાત્રિ પર આર્થિક અવરોધો દૂર થઈ શકે છે. ચંદ્ર અને ગુરુનું વર્ચસ્વ પણ શુભ સ્થિતિઓનું નિર્માણ કરી રહ્યું છે. આ વર્ષે શિવરાત્રિએ રોજગારની મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.
મહાશિવરાત્રી પૂજા વિધિ
મહાશિવરાત્રિના દિવસે પાણી વગરનું વ્રત રાખવું અથવા માત્ર ફળ ઉપવાસ કરવું સારું છે. સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ઉપવાસની પ્રતિજ્ઞા લો. આ પછી ઘરની નજીક આવેલા ભોલે શંકરના કોઈ મંદિરમાં જાઓ. ભગવાન શિવને પંચામૃત અને ગંગા જળથી અભિષેક કરો.ત્યારબાદ ભોલેનાથ અથવા શિવલિંગને બેલપત્ર, ધતુરા, સફેદ ચંદન, અત્તર, પવિત્ર દોરો, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. ભગવાન શિવને કેસરવાળી ખીર અર્પણ કરીને પ્રસાદ વહેંચો. આ એવી પૂજા પદ્ધતિ છે જેના દ્વારા ભક્તોને ભગવાનના આશીર્વાદ તો મળે જ છે પરંતુ દરેક દુઃખ અને મુશ્કેલીમાંથી પણ મુક્તિ મળે છે.
આ પણ વાંચો – Mahashivratri : વલસાડમાં 11 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર
આ પણ વાંચો- Ayodhya : રામ લલાને અત્યાર સુધી મળ્યું આટલું દાન..!
આ પણ વાંચો– RASHIFAL : આ રાશિના જાતકોને આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે