Download Apps
Home » ‘UP Files’, ‘JNU’ અને ‘Sabarmati Report’ જેવી ફિલ્મો-વિશેષ અહેવાલ

‘UP Files’, ‘JNU’ અને ‘Sabarmati Report’ જેવી ફિલ્મો-વિશેષ અહેવાલ

ફિલ્મો એ લોકો સુધી સંદેશ કે વાત્સવિક ઘટનાઓનો નગ્ન ચિતાર પહોંચાડવાનું સશક્ત માધ્યમ છે. ફિલ્મ રસિયાઓના લમણે પ્રેમલાપ્રેમલીની ફિલ્મો બહુ ઝીંકી પણ હવે સમય બદલાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ‘આર્ટિકલ 370’, ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’, ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ જેવી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે અને ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાનો છે. હવે ‘UP Files’, ‘JNU’ અને ‘સાબરમતી રિપોર્ટ’ જેવી ફિલ્મો આવી રહી છે,

આવી ફિલ્મો બનાવી ખરેખર હિમતનું કામ છે. એક તો હિન્દી ફિલ્મોનું કરોડોનું બજેટ અને જંગી ખર્ચ કર્યો હોવા છતાં એની રિકવરી થશે કે નહીં એનું જોખમ તો ખરૂં જ. ફિલ્મ રીલીઝ થાય એ પહેલાં જ કેટલાક લીબરાન્ડુઓનો વિરોધ ચાલુ થઈ જ જાય પણ વિરોધની એ કાગારોળ જ ફિલ્મ માટે મફતની પબ્લિસિટી આપી દે.

 જાણો શું કહે છે નિષ્ણાતો

‘આર્ટિકલ 370’, ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’, ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ જેવી ફિલ્મો જે તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ‘યુપી ફાઇલ્સ’, ‘જેએનયુ’ અને ‘સાબરમતી રિપોર્ટ’ જે આગામી દિવસોમાં રિલીઝ થશે. ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.

લોકપ્રિય ઘટનાઓ અને મુદ્દાઓથી પ્રેરિત ફિલ્મોની રજૂઆત છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. એ બીજી વાત છે કે અમુક રાજકીય પક્ષો આ ફિલ્મોનો વિરોધ કરે છે. તે જ સમયે, કેટલાક રાજકીય પક્ષો લોકોને સત્યથી વાકેફ કરવા માટે આ ફિલ્મોને જરૂરી માને છે. તાજેતરમાં, જાણીતા ફિલ્મ અભિનેતા અને લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા પ્રકાશરાજે આવી જ કેટલીક ફિલ્મોના પોસ્ટર ટ્વીટ કરીને સવાલો ઉભા કર્યા છે. તેણે લખ્યું, ‘પ્રોપેગન્ડા ફિલ્મો…શું આપણે તેને ચૂંટણી બોન્ડ શ્રેણી કહી શકીએ?’

બ્રિટિશ ભારતથી સ્વતંત્રતા સુધીની વાર્તા

આ વર્ષે ફિલ્મ નિર્માતાઓએ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત આવી ઘણી ફિલ્મો રિલીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, ગયા વર્ષે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી બનાવીને લાઇમલાઇટમાં આવેલા નિર્માતા વિપુલ શાહે આ વખતે છત્તીસગઢમાં નક્સલવાદ પર આધારિત ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ રિલીઝ કરી હતી, જેને દર્શકોએ ઘણા રાજ્યોમાં આ ફિલ્મનો વિરોધ તો ચાલુ જ હતો એટલું જ નહીં, તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામાં આવી હતી.

આ સિવાય તાજેતરમાં રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો ખાસ કરીને ફિલ્મના કેટલાક સંવાદોને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે. તે જ અઠવાડિયે, ભારત છોડો આંદોલન પર આધારિત સારા અલી ખાનની ફિલ્મ ‘એ વતન મેરે વતન’ સીધી OTT પર રિલીઝ કરવામાં આવી છે. હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણની દર્દનાક વાર્તા કહેતી ફિલ્મ ‘રઝાકર’ પણ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.


આગામી દિવસોમાં વધુ રિયલ ફીલ્મો રિલીઝ થશે

વાસ્તવિક વિષયોથી પ્રેરિત ફિલ્મોની રિલીઝની પ્રક્રિયા અહીં અટકવાની નથી. ફિલ્મ ‘બંગાળ 1947’ માર્ચના છેલ્લા શુક્રવારે રિલીઝ થશે, જેમાં બંગાળના સંદર્ભમાં ભારતના ભાગલાની વાર્તા બતાવવામાં આવશે.

ફિલ્મ ‘UP Files’ પણ રિલીઝ થશે, જેનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એપ્રિલના પહેલા સપ્તાહમાં જહાંગીર નેશનલ યુનિવર્સિટી પર બનેલી ફિલ્મ ‘JNU‘ રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ તે વિવાદમાં આવી ગઈ છે અને તેનો વિરોધ થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં ઈદ પર રિલીઝ થનારી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પણ ભારતીય સેનાના સ્પેશિયલ ઓપરેશન પર આધારિત હોવાનું કહેવાય છે. જ્યારે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં જ્હોન અબ્રાહમની દેશભક્તિ પર આધારિત ફિલ્મ ‘તેહરાન’ રિલીઝ થવાની ચર્ચા છે. જો કે હજુ તેનું ટ્રેલર આવ્યું નથી.

આવી ફિલ્મોની રિલીઝનો સિલસિલો આગળ પણ ચાલુ રહેશે

ગોધરા ટ્રેન ઘટના પર આધારિત ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ 3 મેના રોજ રિલીઝ થવાની છે, જેમાં પ્રખ્યાત અભિનેતા વિક્રાંત મેસી જોવા મળશે. દરમિયાન, ગુજરાત રમખાણો પર આધારિત ફિલ્મ ‘ગોધરા ફાઇલ્સ’ રિલીઝ થવાની પણ ચર્ચા છે. જો કે આવી ફિલ્મોની રજૂઆત ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ જૂન મહિનામાં રિલીઝ થશે, જેમાં સિત્તેરના દાયકામાં દેશમાં લાદવામાં આવેલી ઇમરજન્સી બતાવવામાં આવશે.

‘હવે પ્રેક્ષકો સમજદાર થઈ ગયા છે’

જો કે ફિલ્મ જગતના નિષ્ણાતોનું માનવું હોય તો વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત ફિલ્મોની લોકો પર બહુ ઓછી અસર પડે છે પણ હકીકત બિલકુલ ઊંધી છે. પ્રેક્ષકને હવે આવી રિયાલિટી બેઝ્ડ ફિલ્મો ગમે છે.  

ફિલ્મ નિર્માતા અને ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરના નિર્માતા આનંદ પંડિતને આજકાલ રીલિઝ થઈ રહેલા વાસ્તવિકતા આધારિત ફિલ્મોના ટ્રેન્ડ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું,:”આજકાલ પ્રેક્ષકો એકદમ બુદ્ધિશાળી બની ગયા છે. તેઓ માત્ર મજબૂત કન્ટેન્ટવાળી ફિલ્મો જ જોવાનું પસંદ કરે છે. તેથી, ફિલ્મોને બોક્સ ઓફિસ પર ચાલવા માટે, વિવાદને બદલે સામગ્રી હોવી વધુ જરૂરી છે.:

નિર્માતા અને ફિલ્મ બિઝનેસ વિશ્લેષક ગિરીશ જોહર પણ વાસ્તવિક ઘટનાઓ અથવા મુદ્દાઓથી પ્રેરિત ફિલ્મો બનાવતી વખતે ખૂબ કાળજી રાખવાની વાત કરે છે. તે કહે છે, ‘જ્યારે દર્શકો સિનેમામાં જાય છે ત્યારે તેનો ઉદ્દેશ્ય મનોરંજન હોય છે. તેથી, કોઈપણ ફિલ્મે સૌપ્રથમ દર્શકોના મનોરંજનની કસોટી પાસ કરવી જોઈએ. એ વાત સાચી છે કે ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરલા સ્ટોરી ફિલ્મોની સફળતાએ ઇન્ડસ્ટ્રીને સફળતાની નવી ફોર્મ્યુલા આપી છે,

આ માત્ર સંયોગ છે

ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે કહ્યું, ‘મને નથી લાગતું કે વાસ્તવિકતા આધારિત ફિલ્મો કોઈ ચોક્કસ રિલીઝ ડેટ પર રિલીઝ થાય છે. આ માત્ર એક સંયોગ હોઈ શકે કે આજકાલ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત ફિલ્મો સતત રિલીઝ થઈ રહી છે.

મનોરંજનને કસોટી પ્રમાણે જીરવવું જોઈએ

નિર્માતા અને ફિલ્મ બિઝનેસ વિશ્લેષક ગિરીશ જોહર કહે છે કે જ્યારે દર્શક સિનેમા જોવા જાય છે ત્યારે તેનો ઉદ્દેશ્ય મનોરંજન છે. તેથી, કોઈપણ ફિલ્મે સૌપ્રથમ દર્શકોના મનોરંજનની કસોટી પાસ કરવી જોઈએ. મેકર્સે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મનોરંજન માત્ર મનોરંજન માટે નહીં પણ પ્રેક્ષકને કડવી હકીકત પણ પીરસવી જોઈએ.  

આ પણ વાંચો- Sunil Datt જીવ જોખમમાં મૂકીને મંદિરમાં પહોંચ્યા

ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
By VIMAL PRAJAPATI
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
By Hiren Dave
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો  ‘Water Baby’
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’
By Dhruv Parmar
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
By Harsh Bhatt
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’ આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?