ગુજરાતની(Gujarat) મુલાકાતે આવેલા બાબા બાગેશ્વર(Baba Bageshwar) ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લેશે. અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ધીરેન્દ્ર શાસ્ત્રી દાંતા હેલિપેડ માટે રવાના થયા છે. ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચશે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી ધામમાં માતાજીના દર્શન અને પૂજન કરશે અને અંબાજી માતાજીની આરતીનો પણ ધીરેન્દ્ર શાસ્ત્રી લ્હાવો લેશે. માતા અંબાજીના દર્શન કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી ઈસ્કોન અંબેવેલીમાં વિશ્રામ કરશે.
આપણ વાંચો –બાબા બાગેશ્વરના અમદાવાદમાં યોજાનારા દિવ્ય દરબારનું સ્થળ બદલાયું