શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય ધામ કે જે નિરાધાર બાળકોનો આધાર છે તે પવિત્ર ભૂમિ પર સુરભી વાગડિયાના પુસ્તક માનસિકતાનું ઊંધિયું ( વિચારોના પકવાન)નો વિમોચન કાર્યક્રમ 15 ઓક્ટોબર રવિવારના રોજ યોજાઇ ગયો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે શ્રી વસંતભાઇ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા
આ ઉપરાંત આ કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશભાઇ માવાણી અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ખાસ અતિથીઓમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, ઉપપ્રમુખ શ્રી સવજીભાઇ વેકરીયા, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના મંત્રી અરવિંદભાઇ ધડુક, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ શ્રી હરિભાઇ કથિરીયા, વરાછા બેંકના ચેરમેન શ્રી ભવાનભાઇ નવાપરા , સુખ વિલાસ ગ્રુપના શ્રી નાનુભાઇ સાવલિયા, ભોજલરામ ઓઇલમીલના શ્રી દિનેશભાઇ પીપળીયા, હેલ્પિંગ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી મહેશભાઇ ભૂવા, યૂરોફૂડના ચેરમેન શ્રી મનહરભાઇ સાસપરા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમના શ્રી અશ્વિનભાઇ વાગડિયા, જલારામ સ્ટિલ પ્લાયવુડ પ્રાઇવેટ લિમિટેડના શ્રી ગોવિંદભાઇ સાવસિયા, ગ્રીન આર્મીના શ્રી મનસુખભાઇ કાસોદરિયા, માનવ મંદિરના જેરામ ભગત તેમજ સંતકૃપા ફરસાણના શ્રી ઉમેશભાઇ આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા.