સૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ અને જ્ઞાન પુસ્તકો થકી પ્રાપ્ત થાય છે. ત્યારે કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ જ્ઞાનવંદના કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓએ વિવિધ અભ્યાસના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ મુકામ હાસિંલ કરીને સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે