Home » રશિયાએ ભૂલથી પોતાના જ સૈનિકો પર હુમલો કરી દીધો, યુક્રેનની સેનાએ કહ્યું – થેન્ક યુ
રશિયાએ ભૂલથી પોતાના જ સૈનિકો પર હુમલો કરી દીધો, યુક્રેનની સેનાએ કહ્યું – થેન્ક યુ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
191
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે. યુક્રેનના ઘણા શહેરો આ યુદ્ધના કારણે તબાહ થઈ ગયા છે. હજારો લોકોના મોત પણ થયા છે. રશિયા અને યુક્રેન બંને તરફ નુકસાન પહોંચ્યું છે. દરરોજ નવા દાવોઓ અને વિગતો સામે આવી રહી છે. ત્યારે આ દરમિયાન યુક્રેને એવો દાવો કર્યો છે કે રશિયાની સેનાએ ભૂલથી તેના જ સૈનિકો પર હુમલો કર્યો અને તેમને મારી નાંખ્યા. આ કામ બદલ યુક્રેનના સૈન્ય અધિકારીઓએ રશિયાનો આભાર માન્યો છે.
રશિયન સેનાએ ફ્લેમથ્રોવરથી તેના જ સૈનિકો પર હુમલો કર્યો
મીડિયાના અહેવાલ મુજબ રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પુતિનની સેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. રશિયન સેનાએ ભૂલથી તેમના પોતાના જ સૈનિકોને મારી નાંખ્યા છે. રશિયન સેનાએ ફ્લેમથ્રોવરથી તેના જ સૈનિકો પર હુમલો કર્યો હતો. જ્યારે રશિયન સેના હુમલો કરી રહી હતી ત્યારે તેને ખબર નહોતી કે તે યુક્રેનના સૈનિકોને નહીં પણ તેના પોતાના સૈનિકોને મારી રહી છે.
યુક્રેનના સૈન્ય અધિકારીઓએ માહિતી આપી
પોતાની સેના દ્વારા રશિયન સૈનિકો પર કરાયેલા હુમલા બાદ યુક્રેનના સૈન્ય અધિકારીઓએ રશિયાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે રશિયન સેનાએ અમને મદદ કરી છે, આ માટે તમારો આભાર. રશિયન સેનાએ યુક્રેનના Zaporizhzhya પ્રાંતમાં તેમના પોતાના સૈનિકો પર હુમલો કર્યોની વાત સામે આવી છે.
જો કે રશિયન સેનાની ભૂલ અંગે રશિયાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. રશિયન સેનાના હુમલામાં તેમના કેટલા સૈનિકો માર્યા ગયા તે જાણી શકાયું નથી. આ દરમિયાન યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે રશિયન સૈનિકો પોતે જ તેમના વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેથી તેમને યુક્રેનમાં વધુ લડાઈ ન કરવી પડે.
આ સાથે જ અમેરિકી ગુપ્તચર એજન્સીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી રાજધાની કિવમાં 390 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, જેમાંથી 222 રહેણાંક એપાર્ટમેન્ટ્સ છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject