Home » GONDAL : પતિના નિધન બાદ પત્નીએ પણ અનંતની વાટ પકડી, 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલાના કારણે નિધન
GONDAL : પતિના નિધન બાદ પત્નીએ પણ અનંતની વાટ પકડી, 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલાના કારણે નિધન
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
103
અહેવાલ – વિશ્વાસ ભોજાણી
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે તે કહેવત ગોંડલના ભોજરાજપરામાં રહેતા વિપ્ર પરિવારમાં યથાર્થ થવા પામી છે. 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલા ના કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરક થવા પામ્યો છે.
ગોંડલ શહેરના ભોજરાજપરા શેરી નંબર 4 માં રહેતા અને સરકારી આરોગ્ય ક્ષેત્રમાંથી નિવૃત થયા બાદ નિવૃત્તિ જીવન ગાળતા રમેશચંદ્ર શંકરલાલ આચાર્ય ઉંમર વર્ષ 75 ને ગત તા 3 ના હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા તેમનું નિધન થયું હતું. પરિવાર હજુ તેમની અંતિમ ક્રિયા પૂર્ણ કરી શોકમાંથી બહાર આવ્યો ન હતો ત્યાં જ રાત્રિના રમેશચંદ્રના પત્ની પ્રેમીલાબેન રમેશચંદ્ર આચાર્યને પણ હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા તેમનું પણ નિધન થતાં પરિવાર સ્તબ્ધ થઈ જવા પામ્યો હતો.
વિપ્રદંપતીને સંતાનમાં ત્રણ પુત્રીઓ લીનાબેન (બારડોલી) , નીરૂબેન (રાજકોટ) અને જીજ્ઞાબેન (રાજકોટ) સાસરે છે તેમજ પુત્ર આશિષભાઈ સાથે વૃદ્ધ દંપતી જીવન નિર્વાહ કરતું હતું હજુ તો 24 કલાક પહેલા જ પરિવારનાં વટ વૃક્ષ સમાન માતા પિતાના નિધન થઈ જતા સ્મશાન યાત્રામાં જોડાયેલ તમામ સ્નેહીજનોની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી હતી.
આ પણ વાંચો — મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૭ મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.