ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને સતત નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે. એક તરફ રાજકીય રંગ લાગ્યો છે. ત્યારે બીજી તરફ આજે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે કરવામાં આવેલી અર્જન્ટ સર્ક્યુલેશનની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. જેમાં અરજદારે દરબાર પહેલા યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી .
આપણ વાંચો-સુરતમાં આજે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપની મહત્વની બેઠક