- ફ્લાઈટમાં મુસાફરોને તેમની સીટ પર જ દારૂ પીવડાવી શકાય છે. મુસાફરોને પોતાનો દારૂ પીવાની છૂટ નથી.
- મુસાફરોને એક સમયે માત્ર એક જ પીણું પીરસી શકાય છે. એક પીણામાં એક મગ (12 ઔંસ) બિયર, એક ગ્લાસ વાઇન અથવા શેમ્પેઈન અથવા વ્હિસ્કી-રમની એક નાની બોટલનો સમાવેશ થાય છે.
- ફ્લાઇટમાં 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને આલ્કોહોલ પીરસવામાં આવી શકતો નથી.
- ચાર કલાકથી ઓછા સમયની ફ્લાઇટમાં મુસાફરોને મંજૂરી કરતાં વધુ પીણાં આપી શકાય નહીં.
- જો કોઈ મુસાફર દારૂ પીરસવાના નિર્ધારિત ધોરણોને પૂર્ણ કર્યા પછી પણ ડ્રિંક માટે પૂછે છે, તો એરલાઈન ઓછામાં ઓછા ત્રણ કલાકના બ્રેકના નિયમનું પાલન કરે છે. જોકે, બિઝનેસ ક્લાસના મુસાફરો માટે આ ‘બ્રેક’ નિયમ ફરજિયાત નથી.
- કેબિન ક્રૂને સલાહ આપવામાં આવી છે કે નશાની સ્થિતિમાં મુસાફરોને વધુ આલ્કોહોલ પીરસવામાં ન આવે. જોકે, ક્રૂ નક્કી કરશે કે મુસાફરો નશામાં છે કે કેમ.
Home » શું એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરોને અમર્યાદિત દારૂ મળી શકે છે? જાણો શું કહે છે પોલિસી
શું એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરોને અમર્યાદિત દારૂ મળી શકે છે? જાણો શું કહે છે પોલિસી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
86
એર ઈન્ડિયાના ‘પેશાબ કૌભાંડ’ બાદથી જ ટાટા ગ્રુપની આ એરલાઈનની નીતિઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને વિમાનમાં મુસાફરોને પીરસવામાં આવતા આલ્કોહોલ અંગે એરલાઇનની નીતિ પ્રશ્નના ઘેરામાં છે. એર ઈન્ડિયાના સીઈઓએ પોતે કહ્યું છે કે તેઓ એરલાઈનની લિકર પોલિસીની સમીક્ષા કરશે. તેમણે એમ પણ કહ્યું કે સ્ટાફ દ્વારા આ બાબતને વધુ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી. એર ઈન્ડિયાની નીતિ મુજબ, દારૂના નશામાં યાત્રીઓ પોતાના માટે અને ફ્લાઈટમાં સવાર અન્ય મુસાફરો માટે જોખમી છે. મદ્યપાન કરનારાઓના કોઈપણ કૃત્યનો સામનો કરવા માટે એરલાઈન્સ પાસે પગલાં લઈ શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પીરસવામાં આવતા દારૂ અંગે વર્તમાન નીતિ શું છે? ફ્લાઇટમાં મુસાફરોને કેટલો દારૂ પીરસી શકાય? તેમજ નશાની હાલતમાં જોવા મળતા મુસાફરો વિશે નિયમો શું કહે છે? આવો જાણીએ..
જાણો શું છે નિયમો?
એર ઈન્ડિયા આ લિકર પોલિસીની સમીક્ષા કરી રહી છે
એર ઇન્ડિયાના સીઇઓ-એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું છે કે 26 નવેમ્બર 2022ના રોજ ન્યૂયોર્ક અને દિલ્હી વચ્ચે કાર્યરત AI 102 પરની ઘટના બાદ એરલાઇન તેની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સેવા નીતિની સમીક્ષા કરશે. અગાઉ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું હતું કે એર ઈન્ડિયાએ એરક્રાફ્ટમાં બેકાબૂ મુસાફરોને હેન્ડલ કરવા સંબંધિત જોગવાઈઓનું પાલન કર્યું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject