ધીરેન્દ્ર શાસ્ત્રી ઉમિયાધામની મુલાકાતે જશે
બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામની મુલાકાતે જશે. અંબાજીમાં મા અંબાના દર્શન બાદ બાબા મા ઉમિયાના દર્શન કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નિર્ધારીત કાર્યક્રમ અનુસાર બાબા બપોરે 3.30 કલાકે વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાના દર્શન કરશે. તેઓ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન પણ કરશે. બાબા વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની આરતી અને પૂજા કરશે અને શિલાપૂજન અને પુજા બાદ બાબા દિવ્યવાણીનો લાભ આપશે. બાબા વિશ્વના સૌથી ઊંચામાં ઉચા મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરશે. વિશ્વ ઉમિયાધામમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.