Amit Shah : રામોત્સવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, જાણો વિગત
હાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના દેશના સાધુ-સંતો, મહંતો, વિવિધ ક્ષેત્રની હસ્તીઓ, અયોધ્યાવાસી અને...
Advertisement
હાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના દેશના સાધુ-સંતો, મહંતો, વિવિધ ક્ષેત્રની હસ્તીઓ, અયોધ્યાવાસી અને સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા હિન્દુઓ સાક્ષી બન્યા છે. પીએમ મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi), રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સાધુ-સંતો સાથે પ્રાણ પ્રતિષ્ઠા પૂજાવિધિમાં ભાગ લીધો હતો. સમગ્ર દેશમાં રામભક્તોનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસે આવવાના છે.

